Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદી રોદ્ર સ્વરૂપે બે કાંઠે વહી રહી છે.ફતેપુરાથી રીંઝા માર્ગ પાણીમાં ગરકાવ.

Tarapur, Anand | Sep 8, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના રોદ્ર સ્વરૂપ પાણી પચેગામ, નભોઈ, રીંઝાના માર્ગો પર ફરી વળ્યાં છે.જેને કારણે ફતેપુરાથી રીંઝાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.જાફરગંજ,મોટા કલોદરા ગામ તરફ પાણીનો પ્રવેશ થયો છે. ફતેપુરા ગામ પાસેના ખેતરો માં પણ પાણી ફરી વળતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે.મહત્વનું છે કે, સાબરમતી નદીએ ઉપરવાસની પાણીની આવકથી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us