Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા

Anklesvar, Bharuch | Sep 10, 2025
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આજે સવારથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. અહી માર્ગ પર પડેલા મસમોટા ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાય છે. તો બીજી તરફ, સતત સર્જાતો ટ્રાફિકજામ ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. કેટલાક વાહનચાલકોને કમાણી કરતા ઇંધણનો વધુ વપરાશ થતાં તેઓના બજેટ ઉપર પણ માર પડ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us