અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આજે સવારથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. અહી માર્ગ પર પડેલા મસમોટા ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાય છે. તો બીજી તરફ, સતત સર્જાતો ટ્રાફિકજામ ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. કેટલાક વાહનચાલકોને કમાણી કરતા ઇંધણનો વધુ વપરાશ થતાં તેઓના બજેટ ઉપર પણ માર પડ્યો છે.