અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતામઆ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી. એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરિતોને ઝડપી સબજેલને હવાલે કર્યા હતા ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો હતો.