અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ અહેવાલ મુજબ આગામી ૨૩ ઑગસ્ટ સુધી દરિયામાં ભારે પવન તથા ઉગ્ર મોજાં સર્જાવાની સંભાવના છે. તેથી મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા તથા હાલ દરિયામાં ગયેલ બોટોને તાત્કાલિક કિનારે પરત ફરવા સૂચના આપી છે.