જામનગર જિલ્લામાં તબીબી સેવાઓ આપતા સંચાલક, ડોકટરોને નિયત સમય મર્યાદા તા.૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં આ અધિનિયમ અંતર્ગત બિનચૂક નોંધણી કરાવવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ એવી સંસ્થાઓ કે જે આ અધિનિયમ હેઠળ નોંધણી વગર તબીબી સેવાઓ આપતી હોવાનું ધ્યાને આવશે તેમના વિરુધ્ધ નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.