This browser does not support the video element.
વાલિયા: વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.
Valia, Bharuch | Sep 13, 2025
વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વધતી જતી ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુથી શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.જેમાં 7 વિભાગોમાં 26 જેટલી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.આ પ્રદર્શનીનું શાળાના આચાર્ય પરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળના સહમંત્રી અશ્વિનસિંહ વિહારિયાના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.