માંગરોળ તાલુકાના વકીલપરા ગામે ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે નવા બ્રિજ ના નિર્માણ માટે રૂપિયા 7 કરોડ 35 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર નાનો બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો આઠ ગામના લોકોની આ વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે સ્થાનિક ગ્રામજનો તેમ જ આ વિસ્તારના પ્રજાજનોએ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો