મહુવા તાલુકાના કળસારગામ નજીક આવેલી કાંતાબેન પારેખ કન્યાશાળાના બાળકોને પ્રવાસે લઈ જવા દરમિયાન શાળા સંચાલકો દ્વારા સરકારી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી જોખમી મુસાફરી કરાવવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ શાળાના બાળકોને તુલસીશ્યામ સુધીના આશરે ૧૩૦ કિલોમીટરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, એટલે કે આવવા-જવા માટે લગભગ ૨૬૦ કિલોમીટરની જોખમી મુસાફરી શિક્ષિકાઓ દ્વારા વ