ડેડીયાપાડા: સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે શિબિર યોજી
ડેડીયાપાડાનાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે આજે અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આજે દેવમોગરા યાહ મોગી માતાના સાનિધ્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગ્રીન કોરિડોરમાં આવતા ગામના લોકો સાથે અમારી શિબિર મળી હતી.