આ શાળામાં સંસ્કાર અને સિંચન સાથે પી.પી સ્વામીજીનાં આચરણ થકી ગણેશજીને પૂર્ણ શ્રદ્ધાથી પાંચ દિવસના ઉત્સવમાં સાયમ—પ્રાતઃ આરતી, ભજન-કીર્તન, પ્રસાદ નું આયોજન થાય છે. પાંચ દિવસ પછી આ મૂર્તિને એક મોટા પાત્રમાં શુદ્ધ પાણીમાં રાખી વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ પાણીમાં ઓગળી જાય પછી તે પાણી શાળાના બાગ બગીચામાં અર્પણ કરી આ ઉત્સવ પૂર્ણ શ્રદ્ધાથી સમાપન કરવામાં આવે છે