ગણપતિ વિસર્જન ને લઈને આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એસીપી ભાવેશ જાધવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, શહેરના છ સ્થળોએ ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે ફાયર વિભાગ, 108 તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેઓએ શહેરીજનોને પણ આ છ સ્થળો સિવાય અન્ય કોઈપણ સ્થળે વિસર્જન ન કરવા અપીલ કરી હતી.