ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ૧૫૩ ભરૂચ વિધાનસભાનું ભવ્ય પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' હતો.આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગરે ઉપસ્થિત રહ્યા હતા.