રવિવારના 5:30 કલાકે કરાયેલા વિસર્જનની વિગત મુજબ વલસાડના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દોઢ દિવસ અઢી દિવસ અને પાંચ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું. આજરોજ અશ્રુભીની આંખે વલસાડના દરિયા કિનારે તેમજ ઔરંગા નદીમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.