અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસવડા સહિત હાજર રહ્યા હતા.