અંબાજી ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે. મુસાફરો માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત માણસા ST ડેપો ખાતેથી અંબાજી મેળા માટે માણસા-અંબાજી મીની બસને ધારાસભ્ય જે.એસ.પટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંબાજી દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ હાજર રહ્યા હતા.