દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઉદ્દેશ બાળકોને કૃમિની અસરથી મુક્ત રાખવી, તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને સહારો આપવો છે. દાહોદ જિલ્લામાં કુલ ૭૫૯૮૮૪ બાળકો પૈકી શાળાઓ અને આંગણવાડી ખાતે ૭૦૦૫૩૭ બાળકોને Albendazole નામની કૃમિનાશક દવા આપવામાં આવી હતી. સાથે બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખી, દવા આપતા પહેલાં તથા આપ્યા બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.