મૂળ નેપાળ માંથી 1 દિવસ પૂર્વે જ 5 જેટલા સભ્યો પોરબંદરના જાવર વિસ્તારમાં મછીના દંગા કામ માટે આવ્યા હતા.આ 5 સભ્યોમાંથી વીર બહાદૂર ચોધરી નામનો યુવાને અગમ્ય કારણોસર દંગામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ યુવાનના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.