અમદાવાદની ખોખરા સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા ધોરણ 8 ના વિદ્યાર્થીએ કરી છે ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓએ જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનાને લઈને સતત પોલીસ સાથે અમે સંપર્કમાં છીએ તેમજ સ્કૂલ અને પોલીસ પાસેથી અમે રિપોર્ટ મંગાવ્યો છે.