પાલનપુર શહેરના ન્યુ પાલનપુર ખાતે આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં સોમવારે રાત્રે 10:00 કલાકે પ્રથમ નવરાત્રીમાં એકાવન દીકરીઓનો તેમના પરિવારજનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સફાઈ કર્મચારીને દીકરીના હસ્તે શ્રીફળ વધેરી આદ્યશક્તિના નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી હતી