અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગે કેટલાક લોકોના દાવા હતા કે ICUમાં લાંબા સમયનું વેઈટિંગ જોવા મળતું હોય છે. જ્યારે આ પ્રકારના દાવાઓને નકારતા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ મંગળવારે 2 કલાકે નિવેદન આપ્યું છે.. જેમાં તેમણે જણાવ્યું કે, કોઈવાર બે-ત્રણ દર્દીને માત્ર થોડા સમય માટે રાહ જોવી પડતી હોય પરંતુ દિવસોની વેઈટિંગ રહેતું નથી.