રાજપીપલા એપીએમસીના ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ સહિત બજાર સમિતિ-મંડળીના સભ્યો, હોદ્દેદારો અને બોર્ડના સભ્યોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ અને મહત્વાકાંક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને જીએસટી સુધારાઓ અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હિતલક્ષી નિર્ણયો દ્વારા આર્થિક ક્ષેત્રે થયેલા પરિવર્તનોને પણ એપીએમસીના ચેરમેન અને સભ્યોએ વખાણી સરાહના કરી હતી.