Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીના વીરાવળ રામજી મંદિરમાં દાનપેટી ચોરી, વિદેશમાં રહેલા ભક્તે સીસીટીવીમાં પકડી પાડ્યો બનાવ

Navsari, Navsari | Aug 12, 2025
નવસારી નજીક આવેલા વીરાવળ વિસ્તારમાં રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બે અજાણ્યા ઇસમોએ બપોરના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી હતી. આ બનાવ ત્યારે બહાર આવ્યો જ્યારે વિદેશમાં રહેલા એક ભક્તે દર્શન કરવા માટે સીસીટીવી મોબાઇલમાં ખોલ્યો અને સમગ્ર ઘટના કેદ થઈ ગઈ. ભક્તે તરત જ ગ્રામજનોને જાણ કરતા પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસએ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધવા તજવીજ શરૂ.
Read More News
T & CPrivacy PolicyContact Us