૫મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રમા ઉત્કૃષ્ટ સેવા આપનાર શિક્ષકનું "શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક" થી સન્માન કરવામાં આવે છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - ૨૦૨૫ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોને આગામી તા.૦૫/૦૯/૨૦૨૫ શિક્ષક દિનના રોજ સન્માનિત કરવામાં આવશે.