જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બરના રોજ ડ્રમ વોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. જેમાં સુરત ખાતે 8 ગંભીર દાઝેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા આજે રવિવારે જોગેન્દ્ર મુન્નીલાલ પ્રજાપતિ ઉ.વ.35, અને પ્રિતિસિંગ નાગેંદ્રસિંગ રાજપુત ઉ.વ.28 ની મોત નીપજતા મૃત્યુ આંક 5 ઉપર પહોંચ્યો