હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિએ આવતી અમાસનું અનેરું મહત્વ છે. આ દિવસે પિતૃ તર્પણ, દાન-ધર્મ અને પૂજા-પાઠનું વિશેષ મહત્વ હોય છે. લોકો આ દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ કરે છે. ત્યારે આજે અમાસના પવિત્ર દિવસે મોરબી નજીક આવેલા પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો.