પાટડી તાલુકાના એરવાડા, છત્રોટ અને ખારાઘોડા (જૂનાગામ) ગામોની પ્રાથમિક શાળાઓમાં નવા રૂમોના બાંધકામ અને રિપેરિંગનું ખાતમુહૂર્ત કરાયું. એરવાડા શાળામાં ૬ નવા રૂમ અને ૩ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૨૦ કરોડ, છત્રોટ શાળામાં ૮ નવા રૂમ અને ૧ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૭૬ કરોડ, તેમજ ખારાઘોડા શાળામાં ૬ નવા રૂમ અને ૪ રૂમના રિપેરિંગ માટે રૂ.૧.૪૮ કરોડનો ખર્ચ થશે.