મહે. એશિયાના સૌથી મોટા ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે પવિત્ર સંકટ ચોથે ગજાનંદ મહારાજની ઉતારાઈ 108 દિપની મહાદીપ આરતી. ત્યારે સંકટ ચોથ જેને મોટી ચોથની માન્યતાને લઈને નિજદેવસ્થાને મોટી સંખિયામાં ભક્તો દાદાના દર્શનાર્થે પધારે છે. ત્યારે મોટી સંખિયામાં પધારેલ ભક્તજનોએ આજે સંકટ ચોથે ગજાનંદ મહારાજના તો દર્શનનો લાભ લીધો હતો. તો સાથે સાથે ગજાનંદ મહારાજની બ્રાહ્મણો દ્વારા ઉતારેલ 108 દિપની મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.