બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં કેસડોલ ચૂકવવા માટે હવે તલાટીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આ અંગેની જાણકારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શનિવારે બપોરે 3:30 કલાકે આપવામાં આવી હતી જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને દિવસના 233 લેખે કેસડોલ ચૂકવવામાં આવશે જે તેમના ખાતામાં જમા થશે.