Download Now Banner

This browser does not support the video element.

માખણિયામાં ગટરનું પાણી ખેતરોમાં.ઘૂસ્યું તળાવનો પાળો તૂટતાં ખેડૂતોના પાકને નુકસાન, બે વખત વાવેતર નિષ્ફળ

Patan City, Patan | Aug 23, 2025
પાટણના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે. ગત રાત્રે વરસાદના કારણે તળાવનો પાળો તૂટી જતાં ગટરનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.સ્થાનિક ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે, તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે.15 દિવસ પહેલા પણ પાળો તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us