નિઝર તાલુકાના વાંકા ગામના કેટલાક ખેતરો હજુય પાણીમાં ગરકાવ,ખેડૂતોની સમસ્યા વધી.નિઝર તાલુકાના વાંકા ગામના જંગલ વિસ્તારના ખેડૂતો વરસાદી પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં છે.મંગળવારે 2 કલાકે મળતી વિગત મુજબ ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં, 8 થી 10 ખેડૂતોના ખેતરોમાં પાણીને લઈ દર વર્ષે 60 થી 100% પાકને નુકસાન થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં, ખેડૂતો નિરાકરણની રાહ જોઈ રહ્યા છે.