બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા રંગપર અંગે અગાઉ થયેલી બોલાચાલીની દાજ રાખી 4 ઈસમોએ લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરી મારમારી લોહીયાળ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાળીયાદ પોલીસ મથકમાં ગોપાલભાઈ સવજીભાઈ જોગરાણાએ 4 ઈસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.