ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે. આજે ત્રીજા દિવસે પણ સરોવરના 21 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં સંત સરોવરમાં 23,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુમાં, ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમમાંથી પણ 85,484 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સંત સરોવરમાં પાણીની આવક સતત વધી રહી છે.