ભરૂચથી વડોદરા તરફ જતાં NH-48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.