સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મૂળચંદ ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાનો પાણીના પ્રશ્ન મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોસે ભરાયેલા ગ્રામજનો મહાનગર પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા જ્યાં અધિકારીઓએ તેમની રજૂઆત સાંભળવાના બદલે પોલીસને બોલાવી હોવાનો તેમજ રજૂઆત માટે સોમવાર અને ગુરુવારે જ આવવા જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો આથી ગ્રામજનોએ મનપા કચેરીમાં જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું