પોલીસ પાસેથી શુક્રવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ વ્યારાના પાનવાડી ગામના જ્યોતિબેન ચૌધરી નામની મહિલાની પ્રેમ સંબંધ નહીં રાખવાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી.જેમાં ગામના જ નવીન ચૌધરી સાથેના પ્રેમ સંબંધનો અંત આવ્યા બાદ, હત્યારા પ્રેમીએ દાતરડા વડે હુમલો કરી જ્યોતિબેનની હત્યા કરી હતી. આ ઘટના બાદ, ગભરાઈ ગયેલા હત્યારા પ્રેમીએ પીપલવાડા ગામ નજીક પૂર્ણા નદીમાં કૂદીને આત્મહત્યા કરી છે. આ આધેડ વયના પ્રેમી યુગલના મોતથી સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયુ છે.