ખોડલધામમાં થયેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડતા આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ખોડલધામ પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ નીંદનીય છે. આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી બીજો કોઈ શખ્સ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચાર કરે.