સંતશ્રી લક્ષ્મીચંદબાપુ અને પૂ. પ્રવિણામૈયાના આશીર્વાદથી મંદિર પરિસરમાં શ્રી રામદેવજી મહારાજની ભવ્ય પાલખી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ધજા-નેજાનું પૂજન કરવામાં આવ્યું, અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં ભક્તો ભજન-કીર્તનના સૂરમાં નાચતા-ગાતા યાત્રામાં જોડાયા. પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભક્તિભાવપૂર્વક ફરી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો.