Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને 20 મી સપ્ટેમ્બર ના રોજ આણંદ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

Anand City, Anand | Sep 3, 2025
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદ, નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us