અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લાની તમામ કોર્ટોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,અરવલ્લીના ચેરમેન શ્રીમતી એ.એન. અંજારીયાનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ રવિવાર બપોરે 1 કલાકે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં,પ્રી-લિટીગેશન,લોક અદાલત,સ્પેશ્યલ સિટિંગના સહિત કેસોમાં કુલ ૩૫૪૮ કેસોનો સુખદ નિકાલ થયો હોવાનું સંબધિત અધિકારીએ જણાવ્યું હતું.