ઊંઝા નગરમાં રખડતા ઢોરોની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકાએ મોટું અભિયાન શરૂ કર્યું છે. પાલિકાની ટીમ એ છેલ્લા 10 દિવસમાં શહેરમાંથી 770 રખડતા ઢોરોને પકડ્યા છે. આ તમામ ઢોરોને પાંજરાપોળ તથા વિવિધ વાડાઓમાં રાખવામાં આવ્યા છે. પકડાયેલા ઢોરો માટે પાણી અને ઘાસચારાની પૂર્તિ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.