મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ખાતે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટના કુવા ની અંદર પાંચ શ્રમિકો ડૂબ્યા હતા અને જેમનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું આ મામલે લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ અંગે ગુનો નોંધી અને તપાસ હાથ કરી છે તો આ અંગે કમિટીની પણ રચના કરવામાં આવી છે આ બાબતે આજે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી માહિતી આપી