શહેરા તાલુકાના ભુરખલ ગામના વતની અને પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી તેમજ ભૂરખલ સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૃપાલસિંહ પરમારે શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે નાફેડના ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેઓને પંચામૃત ડેરીના ચેરમેન પદે બિનહરીફ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.