સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ 10 જૈન ઉપાશ્રય પાસે અને સાંજ ની શાકમાર્કેટ માં ગટર ના ગંદા પાણી ઉભરાય છે જેના કારણે સ્થાનિકો અને સાધુ ભગવંતો ને પારાવાર સમસ્યા ભોગવી પડે છે આ બાબત તંત્ર ને અનેક વખત રજૂવાત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક કમલેશ કોટેચાએ સ્થાનિકોને સાથે રાખી આ અંગે વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.