આગામી 14 સપ્ટેમ્બરે યોજાનાર રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો માટે એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે એસ.ટી. વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ સાંજે 6:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બસો માટે તારીખ 12 સપ્ટેમ્બર થી ઓનલાઇન બુકિંગ પણ થઈ શકશે.