મહેસાણામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના "સેવાલય " દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ પહેલ અંતર્ગત, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે નાસ્તાની, ચાની સામગ્રી અને મીણબત્તી સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું.