ગોધરા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પંચમહાલ રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની વિદાય નિમિત્તે યોજાયો હતો. આ ત્રણેય અધિકારીઓની તાજેતરમાં બદલી થઈ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.