કપાસની આયાત મામલે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની આયાત પર ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય કરાયો છે જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સરકારના આ નિર્ણય થી ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નહીં મળે તેથી ખેડૂતોની હાલત કફોડી બનશે ત્યારે આ મામલે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.