જામનગરની શાન સમા લાખોટા તળાવમાં ગંદકી ફેલાવવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે લાખોટા તળાવમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે, ત્યારે પાણીની આવકની સાથે સાથે કચરો પણ તળાવમાં ફેલાય છે, જેના પગલે તળાવની જીવ સૃષ્ટિને હાનિ પહોંચવાની શક્યતા હોય પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે