જાફરાબાદ તાલુકાના ભાડા-ચિત્રાસર રોડ પર ભાજપની સિંદૂર સ્વાભિમાન યાત્રા દરમ્યાન ગાડી સાથે અકસ્માત થતાં ઉના તાલુકાના માણેકપુર ગામના બે વ્યક્તિઓ ઘાયલ થયા.કોંગ્રેસ પક્ષે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિઓની પત્નીઓનું સિંદૂર અખંડિત રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તેમજ સરકાર તાત્કાલિક અસરકારક સારવાર સુનિશ્ચિત કરે."