બાગાયત વિભાગ બોટાદ દ્વારા “ લીંબુ પાક પરિસંવાદ ” વિષય ઉપર ખેડૂત સેમિનારનું આયોજન બરવાળા ખાતેમાં કરવામાં આવ્યું હતું.જેમાં બોટાદ જિલ્લામાંથી ૧૦૦ થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.આ તકે નાયબ બાગાયત નિયામક બોટાદ તેમજ અમરેલી અને ભાવનગરથી બાગાયત વિભાગનાં અધિકારીઓ તેમજ KVK લોકભારતી સણોશરાથી વૈજ્ઞાનિક ઉપસ્થિત રહી ખેડૂતોને લીંબુ પાકની વિવિધ જાતો,ખાતર,રોગ અને જીવાત નિયંત્રણ તેમજ લીંબુ પાકમાં મૂલ્ય વર્ધન અને બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓની માહીતી આપી.